ભરૂચ: આયોજન અધિકારી પિયુશકુમાર ઉકાણીએ લોનના ટેન્શનમાં કર્યો આપઘાત
ભરૂચ: આયોજન અધિકારી પિયુશકુમાર ઉકાણીએ લોનના ટેન્શનમાં કર્યો આપઘાત
Published on: 15th July, 2026

ભરૂચમાં આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવી આવેલાં પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આંત્યેતિ3 ચિઠ્ઠી મુજબ, ક્રેડિટ કાર્ડની લોનના હપ્તાના ટેન્શનમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. વિશ્વસનિય સુત્રો અનુસાર, પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુરમાં ફરજ પર હતાં ત્યારે પણ લોનના હપ્તાઓને લઈને ચિંતિત રહેતાં હતાં. તેમની આર્થિક સંકડામણ સિવાય અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.