Surendranagar News: સુરેન્દ્રનગરમાં ખાતર ઉપલબ્ધતા માટે જિલ્લા કક્ષાએ ‘Control Room’ શરૂ, ખેડૂતોને મદદ મળશે.
Surendranagar News: સુરેન્દ્રનગરમાં ખાતર ઉપલબ્ધતા માટે જિલ્લા કક્ષાએ ‘Control Room’ શરૂ, ખેડૂતોને મદદ મળશે.
Published on: 03rd August, 2025

સુરેન્દ્રનગરમાં વરસાદથી ખરીફ પાકોનું વાવેતર શરૂ થતા ખાતરની માંગ વધી છે. ખેડૂતોને ખાતર ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ‘Control Room’ શરૂ કરાયો છે. આ ‘Control Room’ સવારે ૮ થી સાંજે ૮ સુધી કાર્યરત રહેશે. યુરિયા, ડી.એ.પી., એન.પી.કે. જેવા ખાતરોની ખરીદીમાં દબાણ થાય તો કંટ્રોલ રૂમમાં રજૂઆત કરી શકાશે. ખોટી અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી જથ્થો ન ખરીદવા ખેતી નિયામકે જણાવ્યું છે. તાલુકા કક્ષાએ પણ રજૂઆત કરી શકાશે. Control Room નંબર: ૦૨૭૫૨ ૨૮૪૪૭૭.