પાટણમાં ચાણસ્માના ઝિલીયાથી કેશણીના માર્ગ પરના સાઈડમાં બાવળની ડાળીઓ વધતાં દુર કરવા માંગ
પાટણમાં ચાણસ્માના ઝિલીયાથી કેશણીના માર્ગ પરના સાઈડમાં બાવળની ડાળીઓ વધતાં દુર કરવા માંગ
Published on: 26th June, 2026

ચાણસ્મા તાલુકાના ઝિલીયાથી કેશણી જવાના માર્ગ પર બાવળની વધેલી ડાળીઓ રોડ સુધી ફેલાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વળાંકવાળા સ્થળે અકસ્માતનો ભય વધ્યો છે. આ માર્ગનો ઉપયોગ પાટણ જવા માટે મોટી સંખ્યામાં લોકો કરે છે. કેશણી ગામના સરપંચ અને સ્થાનિક વાહનચાલકોએ તંત્રને તાત્કાલિક બાવળની ડાળીઓ દૂર કરી માર્ગ સુરક્ષિત બનાવવાની માંગ કરી છે.