પાટણના ચાણસ્મા પાસે નાળું બંધ હોવાથી વરસાદી પાણી ભરાવવાની ભીતી
પાટણના ચાણસ્મા પાસે નાળું બંધ હોવાથી વરસાદી પાણી ભરાવવાની ભીતી
Published on: 26th June, 2026

પાટણ ગોઝારીયા નેશનલ હાઇવે પર અધુરી કામગીરી વચ્ચે તંત્રની મોટી બેદરકારી છતી થવા પામી છે. જેમાં ચાણસ્માના બેચરાજી ત્રણ રસ્તા પાસે આવેલ હોટલ સીટી પોઈન્ટ પાસે વરસાદી પાણીના નિકાલ માટે નંખાયેલ નાળું બંધ હોવાથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વિસ્તારમાં વરસાદી પાણી પણ ફરી વળવાની હોટલના સંચાલક મુકેશભાઈ પટેલ (દાઢી) એ શંકા વ્યક્ત કરીહતી.