પાટણમાં ખુશી અને ધ્યાનના જ્ઞાનમંદિરનું ભવ્ય લોકાર્પણ
પાટણમાં ખુશી અને ધ્યાનના જ્ઞાનમંદિરનું ભવ્ય લોકાર્પણ
Published on: 12th September, 2026

આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા રવિશંકર મહારાજની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના પ્રથમ ટેમ્પલ ઓફ નોલેજ (જ્ઞાનમંદિર)નું ભવ્ય લોકાર્પણ પાટણ ખાતે કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક પ્રસંગે સમગ્ર પાટણ નગર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું હતું. આ જ્ઞાનમંદિર દ્વારા હેપીનેસ કોર્સ, એડવાન્સ મેડિટેશન કોર્સ, દિવ્ય સમાજ નિર્માણ કોર્સ, ઇનટ્યુશન પ્રોગ્રામ અને યોગા લેવલ ટુ કોર્સ જેવા લોકપ્રિય કોર્સ ચલાવવામાં આવશે. આયોજનમાં શોભાયાત્રા, ગૌમાતા પૂજન, વિશેષ મેડિટેશન, પ્રવેશદ્વાર પૂજન, વૈશ્વાનર પૂજા, રુદ્ર પૂજા અને મહાઆરતીનો સમાવેશ થયો હતો.