ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવનાર સરપંચ પર ટોળાં દ્વારા જીવલેણ હુમલો
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવનાર સરપંચ પર ટોળાં દ્વારા જીવલેણ હુમલો
Published on: 12th September, 2026

રાજકોટ નજીક જાલસીકા-વસુંધરા ગામના સરપંચ ધીરૂભાઇ કરશનભાઇ ડાંગર (ઉ.વ.૬૫) પર ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાનો ખાર રાખી કેટલાક શખ્સોના ટોળાં દ્વારા પૂર્વયોજીત કાવતરૂ રચી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સરપંચના બંને પગ ભાંગી ગયા હતા. એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ પ્રવીણ જેહાભાઇ સરૈયા, અનિલ રેવાભાઇ સરૈયા, વિપુલ જેહાભાઇ સરૈયા, શૈલેષ રેવાભાઇ સરૈયા, વિક્રમ રેવાભાઇ સરૈયા, જગદીશ સામતભાઇ સરૈયા અને અજાણ્યા છથી સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.