ગીરમાં રોગચાળાથી ૬૨ સિંહનાં મોત
ગીરમાં રોગચાળાથી ૬૨ સિંહનાં મોત
Published on: 12th September, 2026

ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહોમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. એક વર્ષમાં જ ૬૨ સિંહોના કરુણ મોત થયા છે, જેમાં ૨૮ સિંહબાળનો પણ સમાવેશ થાય છે. વન વિભાગના દાવાઓ છતાં, સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા, કિડની ફેલ્યોર, અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર જેવા અનેક જીવલેણ રોગોએ સિંહોનો ભોગ લીધો છે. આટલી મોટી સંખ્યામાં સિંહોના મોત પાછળ વન વિભાગની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ વાયરલ-બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સ્વતંત્ર તપાસ થવી જરૂરી છે.