સોમનાથ ટ્રસ્ટનો ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા જાગૃતિ કાર્યક્રમ; સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું. Verval News.
સોમનાથ ટ્રસ્ટનો ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા જાગૃતિ કાર્યક્રમ; સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું. Verval News.
Published on: 03rd August, 2025

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ઓનલાઈન હોટલ બુકિંગના બહાને થતી છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું. ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞોએ હોટલ વ્યવસ્થાપકો અને સ્થાનિક સંચાલકોને online fraud અટકાવવા અને સાવચેતી રાખવા અંગે માહિતી આપી. I4Cના ઋષિ મહેતાએ પણ online fraud વિશે માહિતી આપી.