હાટકેશ્વર બ્રિજ તોડવામાં વિલંબથી વેપારીઓ પરેશાન: દુકાનો બંધ રાખી વિરોધ, ટ્રાફિક અને ધૂળથી લોકો ત્રસ્ત.
હાટકેશ્વર બ્રિજ તોડવામાં વિલંબથી વેપારીઓ પરેશાન: દુકાનો બંધ રાખી વિરોધ, ટ્રાફિક અને ધૂળથી લોકો ત્રસ્ત.
Published on: 16th March, 2026

અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવામાં વિલંબ થતા વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો છે. ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી લોકો પરેશાન છે. યોગ્ય બેરિકેડ કે આડશો મુક્યા વિના અને રસ્તાઓ પર પાણીના ટેન્કરો દ્વારા કોઈ છંટકાવ ન કરાતા સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજની બન્ને બાજુ આવેલ રહેણાંક મકાનોમાં રહેતા નાગરિકોઓ ભોગ બનતા તંત્રને જગાડવા આજે શોપ બંધનું એલાન આપ્યું છે.