કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.
કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.
Published on: 16th March, 2026

કતરથી LPG ગેસ લઈને શિવાલિક નામનું જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું. બીજું જહાજ નંદાદેવી જહાજ આવતીકાલે પહોંચશે. આ શિવાલિક જહાજમાં અંદાજિત 46 હજાર મેટ્રિક ટન LPG છે. જે અંદાજિત 32.4 લાખ ઘરેલું LPG સિલિન્ડર ભરી શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે. તેમાં 611 ભારતીય ખલાસીઓ છે.