સુરતમાં રાંધણ ગેસની અછતથી શ્રમિકો મુશ્કેલીમાં, વતન જઈ ચૂલે રસોઈ બનાવવાની ફરજ પડી.
સુરતમાં રાંધણ ગેસની અછતથી શ્રમિકો મુશ્કેલીમાં, વતન જઈ ચૂલે રસોઈ બનાવવાની ફરજ પડી.
Published on: 16th March, 2026

મિડલ ઈસ્ટ યુદ્ધની અસરથી સુરતમાં LPGની અછત સર્જાતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડરની અછતને લીધે હજારો પરિવારો સુરત છોડી વતન તરફ વળ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે, 70% પરિવારો વતન જવા મજબૂર બન્યા છે. ગામડે ચૂલે રસોઈ બનાવવાની નોબત આવી છે.