જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવની અનોખી ‘ગણેશ ગેલેરી’
જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવની અનોખી ‘ગણેશ ગેલેરી’
Published on: 16th September, 2026

જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવે છેલ્લા 40 વર્ષથી ગણેશજીના વિવિધ સ્વરૂપો, આકારો, કદ અને રંગની મૂર્તિઓ તથા ગણેશજી સાથે સંકળાયેલી 3 હજારથી વધુ વસ્તુઓનો અનોખો સંગ્રહ કર્યો છે. તેમણે પોતાના નિવાસસ્થાને એક અદભૂત ‘ગણેશ ગેલેરી’ ઊભી કરી છે, જેમાં 800થી વધુ ગણેશજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ગેલેરીમાં એક જ સ્થળે ગણેશજીના અનેક સ્વરૂપોના દર્શન કરી શકાય છે. ઉત્સુકતામાંથી શરૂ થયેલો આ સંગ્રહ આજે ગણેશજીના વિવિધ સ્વરૂપો અને તેના ઇતિહાસની જાણકારી આપતી એક વિશિષ્ટ ગેલેરી બની ગયો છે.