પરિણીતાનો દુ:ખદ અંત: PM આવાસમાં 5મા માળેથી ઝંપલાવી જીવનલીલા સંકેલી.
પરિણીતાનો દુ:ખદ અંત: PM આવાસમાં 5મા માળેથી ઝંપલાવી જીવનલીલા સંકેલી.
Published on: 14th May, 2026

વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી 35 વર્ષીય પરિણીતા ભૂમિકાબહેન પાટીલે 5મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. છેલ્લા ચાર દિવસથી બીમાર અને કોઈની સાથે ઝઘડો કરતી, તેમણે પુત્રને પાર્કિંગમાં મોકલી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી આત્મહત્યા કરી. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં મળી આવતા સયાજી હોસ્પિટલ ખસેડાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી.