ભારત વિકાસ પરિષદ ભુજ દ્વારા સનાતન ધર્મ પર અજીત માનસત્તાનું પ્રેરણાદાયી વક્તવ્ય યોજાયું
ભારત વિકાસ પરિષદ ભુજ દ્વારા સનાતન ધર્મ પર અજીત માનસત્તાનું પ્રેરણાદાયી વક્તવ્ય યોજાયું
Published on: 15th September, 2026

ભારત વિકાસ પરિષદ ભુજ શાખા દ્વારા કચ્છ યુનિવર્સિટીનાં કોર્ટ હોલમાં સનાતન ધર્મનાં મહત્વ પર અજીત માનસત્તાનું પ્રેરણાદાયી વક્તવ્ય યોજાયું. માનસત્તાએ તર્ક, આંકડા, અને ધર્મગ્રંથોનાં આધારે સનાતન ધર્મની ગહનતા વર્ણવી. તેમણે જણાવ્યું કે જ્યારે કંઇ પણ ન્હોતું ત્યારે પણ સનાતન ધર્મ હતો અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે ભારતીય પંચાગ અને ખગોળશાસ્ત્રનાં ઊંડા સંશોધનો પર પણ પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.