લુણાવાડાના રમેશકુમાર ચૌહાણની મહીસાગર જિલ્લામાંથી સાંદીપનિ ગુરુ ગૌરવ ઍવૉર્ડ માટે પસંદગી
લુણાવાડાના રમેશકુમાર ચૌહાણની મહીસાગર જિલ્લામાંથી સાંદીપનિ ગુરુ ગૌરવ ઍવૉર્ડ માટે પસંદગી
Published on: 26th July, 2026

પૂ.ભાઈ રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી કાર્યરત સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર દ્વારા શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સારસ્વતોને ગુરુ ગૌરવ એવોર્ડ અપાય છે. આ વર્ષે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણની પસંદગી કરાઈ છે. આગામી તા.27 અને 28ના રોજ પોરબંદર ખાતે યોજાનાર બે દિવસીય ભાવપૂજન કાર્યક્રમમાં પૂ. રમેશભાઈ ઓઝા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનું વિશેષ બહુમાન કરાશે.