૨૦ રૂપિયાના લાંચ કેસમાં ૩૦ વર્ષે બે સરકારી કર્મચારીઓ નિર્દોષ જાહેર
૨૦ રૂપિયાના લાંચ કેસમાં ૩૦ વર્ષે બે સરકારી કર્મચારીઓ નિર્દોષ જાહેર
Published on: 21st August, 2026

નવી દિલ્હી : ૨૦ રૂપિયાની લાંચના ત્રણ દાયકા સુધી ચાલેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના બે કર્મચારી, એક ક્લાર્ક અને એક પટાવાળાને નિર્દોષ છોડી મૂક્યા છે. આ કેસ ૧૯૯૬માં શરૂ થયો હતો. કોર્ટે જણાવ્યું કે માત્ર ૨૦ રૂપિયા આપ્યા હોવાના આધારે લાંચ લીધી હોવાનું પુરવાર થઈ શકતું નથી. ફરિયાદીના દાવાઓમાં પણ વિસંગતતાઓ જણાતા અને તપાસ એજન્સી (ACB)ની સૂચનાઓનું પાલન ન થતા, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા રદ કરી બંનેને સજામાંથી મુક્તિ આપી છે.