પરિવાર બહાર ગયો ને તસ્કરો ચોથા માળે તાળું તોડી ઘર ખાલી કરી ગયા
પરિવાર બહાર ગયો ને તસ્કરો ચોથા માળે તાળું તોડી ઘર ખાલી કરી ગયા
Published on: 21st August, 2026

પોરબંદરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં આવાસના ચોથા માળે એક બંધ ફ્લેટમાંથી દોઢ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીની ચોરી થઈ છે. ઘટના ત્યારે બની જ્યારે પરિવાર દવાખાનાના કામ અર્થે 8 દિવસ માટે બહાર ગયો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને ફ્રીઝ, ટી.વી., ગેસ બાટલો, વાસણો, પંખા સહિત બધો જ સામાન ચોરી લીધો. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયો.