ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ગંદકી મુદ્દે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ.
ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ગંદકી મુદ્દે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ.
Published on: 21st August, 2026

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની Food Safety ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધરાયું. સંગમ ચાર રસ્તા, તુલસીધામ, જેતલપુર રોડ અને ખંડેરાવ માર્કેટ સહિત ૨૧ એકમોનું નિરીક્ષણ કરાયું. જેતલપુર રોડ પરના 'ઈશ્વર લાઈવ વેફર'માંથી કેળા, 'સાંઈનાથ નાસ્તા હાઉસ'માંથી સમોસા અને 'ખુશ્બૂ કોર્નર'માંથી ચટણીનો વાસી જથ્થો નાશ કરાયો. ખંડેરાવ માર્કેટ પાસે 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ'માં ગંદકી જણાતા તેને બંધ કરાવાયું. મ્યુનિ. કમિશ્નરે Food Safety Officersને સેમ્પલ લેવાની સંખ્યા વધારવા સૂચના આપી.