મહીસાગરમાં પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો.
મહીસાગરમાં પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો.
Published on: 04th April, 2026

મહીસાગર LCBએ કોઠંબા, લુણાવાડા અને બાલાસિનોર વિસ્તારમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. SP સફીન હસનની સૂચનાથી LCB PI એમ.કે. ખાંટે તપાસ હાથ ધરી હતી, જેમાં બાતમી મળતા બે આરોપીઓની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ લુણાવાડા, થાણા સાવલી અને બાલાસિનોરના બંધ મકાનોમાં ચોરીની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ: જશપાલસિંહ રાઠોડ અને બલરાજસિંહ શીખ.