ઓમાન નજીક કોમર્શિયલ જહાજ પર હુમલો
ઓમાન નજીક કોમર્શિયલ જહાજ પર હુમલો
Published on: 14th September, 2026

ઓમાનના દરિયા કિનારે કોમર્શિયલ જહાજ એમટી અલ-ગૈઆ પર થયેલા હુમલામાં ૧૪ ભારતીય ક્રૂમાંથી ૧૩ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક લાપતા છે. ઈરાને પણ તેના જહાજ પર હુમલાનો દાવો કર્યો છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે, યમનમાં હુથી બળવાખોરો અને સાઉદી અરબ વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. હુથીઓએ સાઉદીના જાજાન પ્રાંત પર મિસાઈલ હુમલો કર્યો, જેનાથી એક મસ્જિદને નુકસાન થયું અને સૈન્ય બેઝનો નાશ થયો. ભારતીય દૂતાવાસ દ્વારા શોધખોળ ચાલુ છે.