Logo Logo
News About Us Contact Us
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • Trending
  • News Sources
  1. News
  2. દેશ
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.

પૂર્વી રશિયામાં 46 લોકો સાથેનું વિમાન ગુમ થઈ ગયું હતું. આ વિમાન ચીનની સરહદ નજીક ક્રેશ થયાની માહિતી મળી છે. વિમાનમા સવાર 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત 49નું મુત્યુ નીપજ્યું છે. આ વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.

Published on: 24th July, 2025
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.
Published on: 24th July, 2025
પૂર્વી રશિયામાં 46 લોકો સાથેનું વિમાન ગુમ થઈ ગયું હતું. આ વિમાન ચીનની સરહદ નજીક ક્રેશ થયાની માહિતી મળી છે. વિમાનમા સવાર 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત 49નું મુત્યુ નીપજ્યું છે. આ વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.
ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા
ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા

અલકાયદા ઈન્ડિયાના 4 આતંકીઓને ઝડપ્યા. 1 દિલ્હી, UP અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા, સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. છેલ્લા કેટલાય સમયથી ATSની રડારમાં હતા આતંકીઓ આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા ATS દબોચ્યાં.

Published on: 23rd July, 2025
ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા
Published on: 23rd July, 2025
અલકાયદા ઈન્ડિયાના 4 આતંકીઓને ઝડપ્યા. 1 દિલ્હી, UP અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા, સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. છેલ્લા કેટલાય સમયથી ATSની રડારમાં હતા આતંકીઓ આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા ATS દબોચ્યાં.
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું

જગદીપ ધનખરે વર્ષ ૨૦૨૨ માં માર્ગોરેટ આલ્વાને હરાવીને દેશના ૧૪માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. સ્વાસ્થ્યનો હવાલો આપીને પદ ઉપરથી રાજીનામું આપ્યું. ચોમાસું સત્ર ચાલુ થયું અને રાજ્યસભાના સભાપતિ ઉર્ફે દેશના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. હવે દિલ્હીના ગલિયારો હવા તેજ. મોદી સાહેબના ચાલુ કાર્યકાળમાં સૌથી મોટો ફટકો. વિપક્ષને મજબૂત દાવ મળ્યો.

Published on: 22nd July, 2025
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું
Published on: 22nd July, 2025
જગદીપ ધનખરે વર્ષ ૨૦૨૨ માં માર્ગોરેટ આલ્વાને હરાવીને દેશના ૧૪માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. સ્વાસ્થ્યનો હવાલો આપીને પદ ઉપરથી રાજીનામું આપ્યું. ચોમાસું સત્ર ચાલુ થયું અને રાજ્યસભાના સભાપતિ ઉર્ફે દેશના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. હવે દિલ્હીના ગલિયારો હવા તેજ. મોદી સાહેબના ચાલુ કાર્યકાળમાં સૌથી મોટો ફટકો. વિપક્ષને મજબૂત દાવ મળ્યો.
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.

HCએ કહ્યું, 12 ગુનેગારને સજા અપાવવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં 189 મુસાફર માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.પ્રેશરકૂકરમાં બોમ્બ સેટ કર્યા હતા.

Published on: 21st July, 2025
વર્ષ 2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર.
Published on: 21st July, 2025
HCએ કહ્યું, 12 ગુનેગારને સજા અપાવવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં 189 મુસાફર માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.પ્રેશરકૂકરમાં બોમ્બ સેટ કર્યા હતા.
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટના નામે ઓળખાતા મંગલમપલ્લી વેંકટેશનું 53 વર્ષની વયે નિધન થયું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે વેંકટના પરિવારે મદદની પણ અપીલ કરી હતી. તેમને નાણાકીય મદદ મળી હતી, પરંતુ યોગ્ય સમયે ડોનર ન મળતા તેમનું નિધન થયું હતુ.

Published on: 20th July, 2025
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન
Published on: 20th July, 2025
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટના નામે ઓળખાતા મંગલમપલ્લી વેંકટેશનું 53 વર્ષની વયે નિધન થયું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે વેંકટના પરિવારે મદદની પણ અપીલ કરી હતી. તેમને નાણાકીય મદદ મળી હતી, પરંતુ યોગ્ય સમયે ડોનર ન મળતા તેમનું નિધન થયું હતુ.
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ

ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે આજે WCL (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ) ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ કરવામાં આવી. WCL માં ભારતીય ટીમનું નેતૃત્ત્વ યુવરાજ સિંહ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય પ્લેઇંગ ૧૧ માંથી હરભજન સિંહ, યુસુફ પઠાણ, શિખર ધવન અને ઇરફાન પઠાણ મેચમાં નહીં રમવાનો નિર્ણય કરતા મેચ રદ કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે, પાકિસ્તાન સામે મેચનું આયોજન થયું ત્યારે વિરોધ ના કર્યો. અચાનક ભારતીય ક્રિકેટરોનો આત્મા જાગ્યો અને મેચ રદ કરી. આ WCL ના સહ આયોજક અભિનેતા અજય દેવગણ અને ફાઉન્ડર & CEO હર્ષિત તોમર છે.

Published on: 20th July, 2025
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ
Published on: 20th July, 2025
ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે આજે WCL (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ) ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ કરવામાં આવી. WCL માં ભારતીય ટીમનું નેતૃત્ત્વ યુવરાજ સિંહ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય પ્લેઇંગ ૧૧ માંથી હરભજન સિંહ, યુસુફ પઠાણ, શિખર ધવન અને ઇરફાન પઠાણ મેચમાં નહીં રમવાનો નિર્ણય કરતા મેચ રદ કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે, પાકિસ્તાન સામે મેચનું આયોજન થયું ત્યારે વિરોધ ના કર્યો. અચાનક ભારતીય ક્રિકેટરોનો આત્મા જાગ્યો અને મેચ રદ કરી. આ WCL ના સહ આયોજક અભિનેતા અજય દેવગણ અને ફાઉન્ડર & CEO હર્ષિત તોમર છે.
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ

ટેસ્લાએ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ કરી છે. એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિમી સુધી ચાલશે, કિંમત ₹60 લાખથી શરૂ થાય છે. ટેસ્લાએ ભારતમાં પોતાનો પ્રથમ શો રૂમ મુંબઈમાં ચાલુ કર્યો છે, બીજો શો રૂમ દિલ્હીમાં ચાલુ કરવાના વિચારણા હેઠળ છે. કંપનીએ હાલમાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 4,000 ચોરસ ફૂટ રિટેલ જગ્યા માટે 5 વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. ટેસ્લા 5 વર્ષનું કુલ ભાડું રૂપિયા ૨૧૦૦ કરોડ ચૂકવશે.

Published on: 15th July, 2025
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Published on: 15th July, 2025
ટેસ્લાએ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ કરી છે. એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિમી સુધી ચાલશે, કિંમત ₹60 લાખથી શરૂ થાય છે. ટેસ્લાએ ભારતમાં પોતાનો પ્રથમ શો રૂમ મુંબઈમાં ચાલુ કર્યો છે, બીજો શો રૂમ દિલ્હીમાં ચાલુ કરવાના વિચારણા હેઠળ છે. કંપનીએ હાલમાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 4,000 ચોરસ ફૂટ રિટેલ જગ્યા માટે 5 વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. ટેસ્લા 5 વર્ષનું કુલ ભાડું રૂપિયા ૨૧૦૦ કરોડ ચૂકવશે.
બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી
બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી

ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે પતિ પારુપલ્લી કશ્યપ સાથે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી. સાઇના અને ભારતના પૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

Published on: 14th July, 2025
બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી
Published on: 14th July, 2025
ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે પતિ પારુપલ્લી કશ્યપ સાથે છૂટાછેડાની લેવાની જાહેરાત કરી. સાઇના અને ભારતના પૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી

ભારતીય બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે. આ સભ્યો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે ચૂંટાય છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી છે જેમા ઉજ્જવલ નિકમ (26/11 મુંબઈ હુમલા સહિત ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ), સી. સદાનંદન માસ્ટર (કેરળના વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ), હર્ષવર્ધન શ્રૃંગલા (ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ), મીનાક્ષી જૈન (ઇતિહાસકાર અને શિક્ષણવિદ) નો સમાવેશ થાય છે.

Published on: 13th July, 2025
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી
Published on: 13th July, 2025
ભારતીય બંધારણના અનુચ્છેદ 80(3) હેઠળ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે. આ સભ્યો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે ચૂંટાય છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યસભા માટે ૪ સભ્યોની નિમણૂક કરી છે જેમા ઉજ્જવલ નિકમ (26/11 મુંબઈ હુમલા સહિત ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ), સી. સદાનંદન માસ્ટર (કેરળના વરિષ્ઠ સમાજસેવક અને શિક્ષણવિદ), હર્ષવર્ધન શ્રૃંગલા (ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ), મીનાક્ષી જૈન (ઇતિહાસકાર અને શિક્ષણવિદ) નો સમાવેશ થાય છે.
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Published on: 04th July, 2025
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Published on: 04th July, 2025
SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા

Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.

Published on: 04th July, 2025
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Published on: 04th July, 2025
Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.
બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો
બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) RCB ને જવાબદાર ઠેરવ્યું છે. CATએ કહ્યું કે, ‘આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું. જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે ભગવાન કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.

Published on: 02nd July, 2025
બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો
Published on: 02nd July, 2025
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) RCB ને જવાબદાર ઠેરવ્યું છે. CATએ કહ્યું કે, ‘આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું. જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે ભગવાન કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.
જાણો PM મોદીના 5 દેશોના વિદેશ પ્રવાસ વિશે
જાણો PM મોદીના 5 દેશોના વિદેશ પ્રવાસ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 10 જુલાઈ દરમિયાન ઘાણા, ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમ્યાન પીએમ મોદી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, આર્થિક સહયોગ વધારવા અને વ્યૂહનૈતિક સહભાગિતાના નવા માર્ગો શોધવા પર ભાર આપશે. ઘાણા અને ત્રિનિદાદમાં ભારતીય મૂળના લોકોના સંસ્કૃતિક જોડાણોને મજબૂત કરવામાં આવશે, જયારે આર્જેન્ટિના અને બ્રાઝિલમાં મુખ્યત્વે લિથિયમ, કૃષિ, ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારીની ચર્ચા થશે. બ્રાઝિલમાં BRICS સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર નેતાઓ સાથે બેઠક થશે. નામિબિયા સાથેના સંબંધો પણ વેપાર અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.

Published on: 01st July, 2025
જાણો PM મોદીના 5 દેશોના વિદેશ પ્રવાસ વિશે
Published on: 01st July, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 10 જુલાઈ દરમિયાન ઘાણા, ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમ્યાન પીએમ મોદી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, આર્થિક સહયોગ વધારવા અને વ્યૂહનૈતિક સહભાગિતાના નવા માર્ગો શોધવા પર ભાર આપશે. ઘાણા અને ત્રિનિદાદમાં ભારતીય મૂળના લોકોના સંસ્કૃતિક જોડાણોને મજબૂત કરવામાં આવશે, જયારે આર્જેન્ટિના અને બ્રાઝિલમાં મુખ્યત્વે લિથિયમ, કૃષિ, ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારીની ચર્ચા થશે. બ્રાઝિલમાં BRICS સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર નેતાઓ સાથે બેઠક થશે. નામિબિયા સાથેના સંબંધો પણ વેપાર અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.
પ્રધાનમંત્રી શ્રી એ આજે ડોક્ટર્સ ડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે અને ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રી શ્રી એ આજે ડોક્ટર્સ ડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે અને ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. તેમણે ડોક્ટરોને “સ્વાસ્થ્યના રક્ષક અને માનવતાના સ્તંભ” તરીકે વખાણ્યા અને તેમની કરુણા, કુશળતા તથા મહેનતની પ્રશંસા કરી. સીએ દિવસ પર મોદીએ જણાવ્યું કે તેમના દ્વારા અપાતી ચોકસાઈ અને પારદર્શિતા દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. સાથે જ પીએમએ ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર સફળતાની પ્રશંસા કરી અને કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજીથી કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને ભારત ડિજિટલ પેમેન્ટમાં આગવું સ્થાન ધરાવે છે.

Published on: 01st July, 2025
પ્રધાનમંત્રી શ્રી એ આજે ડોક્ટર્સ ડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે અને ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી.
Published on: 01st July, 2025
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. તેમણે ડોક્ટરોને “સ્વાસ્થ્યના રક્ષક અને માનવતાના સ્તંભ” તરીકે વખાણ્યા અને તેમની કરુણા, કુશળતા તથા મહેનતની પ્રશંસા કરી. સીએ દિવસ પર મોદીએ જણાવ્યું કે તેમના દ્વારા અપાતી ચોકસાઈ અને પારદર્શિતા દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. સાથે જ પીએમએ ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર સફળતાની પ્રશંસા કરી અને કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજીથી કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને ભારત ડિજિટલ પેમેન્ટમાં આગવું સ્થાન ધરાવે છે.
તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો.
તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો.

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના ફેક્ટરી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને પીએમ રાહત કોષમાંથી ₹2 લાખ અને ઘાયલ મજૂરોને ₹50,000 સહાય જાહેર કરી છે. PMએ X પર લખ્યું કે તેઓ દુઃખી છે અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ પણ દિલ્હી ખાતે પીએમની મુલાકાત લીધી હતી.

Published on: 01st July, 2025
તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો.
Published on: 01st July, 2025
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના ફેક્ટરી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને પીએમ રાહત કોષમાંથી ₹2 લાખ અને ઘાયલ મજૂરોને ₹50,000 સહાય જાહેર કરી છે. PMએ X પર લખ્યું કે તેઓ દુઃખી છે અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ પણ દિલ્હી ખાતે પીએમની મુલાકાત લીધી હતી.
તેલંગણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ : 12નાં મોત, 34ને ઈજા
તેલંગણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ : 12નાં મોત, 34ને ઈજા

હૈદરાબાદના સંગારેડ્ડી જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ભયાનક આગ ફાટી નીકળતા 12 મજૂરોના મૃત્યુ થયા અને 34 થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી કેટલાક મજૂરો 300 ફૂટ દૂર ફંગોળાયા હતા. ફાયર વિભાગે ૧૫ ગાડીઓ સાથે આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો. મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું, જેથી આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. આગનું કારણ રિએક્ટરમાં થયેલી ખામીને ગણવામાં આવે છે અને વધુ તપાસ ચાલુ છે.

Published on: 01st July, 2025
તેલંગણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ : 12નાં મોત, 34ને ઈજા
Published on: 01st July, 2025
હૈદરાબાદના સંગારેડ્ડી જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ભયાનક આગ ફાટી નીકળતા 12 મજૂરોના મૃત્યુ થયા અને 34 થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી કેટલાક મજૂરો 300 ફૂટ દૂર ફંગોળાયા હતા. ફાયર વિભાગે ૧૫ ગાડીઓ સાથે આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો. મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું, જેથી આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. આગનું કારણ રિએક્ટરમાં થયેલી ખામીને ગણવામાં આવે છે અને વધુ તપાસ ચાલુ છે.
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.

રેલ મુસાફરી મોંઘી છે: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશે. તત્કાલ ટિકિટ બુકિંગ: આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલ હોવો જરૂરી. પાન કાર્ડના નિયમો: જો તમારી પાસે આધાર નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. MGની કાર મોંઘી: કંપનીએ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કર્યો. UPI ટ્રાન્ઝેક્શન: હવે પેમેન્ટ કરતી સમયે અસલી રિસીવરનું નામ દેખાશે.ગેસ સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો.

Published on: 01st July, 2025
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.
Published on: 01st July, 2025
રેલ મુસાફરી મોંઘી છે: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશે. તત્કાલ ટિકિટ બુકિંગ: આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલ હોવો જરૂરી. પાન કાર્ડના નિયમો: જો તમારી પાસે આધાર નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. MGની કાર મોંઘી: કંપનીએ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કર્યો. UPI ટ્રાન્ઝેક્શન: હવે પેમેન્ટ કરતી સમયે અસલી રિસીવરનું નામ દેખાશે.ગેસ સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો.
મહેન્દ્ર સિંહ ધોનીએ રજીસ્ટર કરાવ્યો 'કેપ્ટન કૂલ' ટ્રેડમાર્ક
મહેન્દ્ર સિંહ ધોનીએ રજીસ્ટર કરાવ્યો 'કેપ્ટન કૂલ' ટ્રેડમાર્ક

ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ નામે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવવા માટે રજિસ્ટ્રી પોર્ટલ પર અરજી કરી છે. ધોનીએ આ ટ્રેડમાર્ક ખાસ કરીને રમતગમત તાલીમ, તાલીમ માટેની સુવિધાઓ અને રમતગમત કોચિંગ સેવાઓ માટે નોંધાવ્યો છે. ધોનીને દુનિયાભરમાં તેમના શાંત સ્વભાવ અને કુશળ નેતૃત્વ માટે ઓળખવામાં આવે છે, અને ‘કેપ્ટન કૂલ’ નામ તે માટે ખૂબ લોકપ્રિય છે. હવે આ નામધારી સેવાઓ ધોનીના બ્રાન્ડ સાથે સાંકળાયેલી રહેશે. રમતગમત ક્ષેત્રે તેમના અનુભવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેડમાર્ક વ્યવસાયિક રીતે મહત્વપૂર્ણ બની રહેશે. આનાથી તેમની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થશે.

Published on: 30th June, 2025
મહેન્દ્ર સિંહ ધોનીએ રજીસ્ટર કરાવ્યો 'કેપ્ટન કૂલ' ટ્રેડમાર્ક
Published on: 30th June, 2025
ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ નામે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવવા માટે રજિસ્ટ્રી પોર્ટલ પર અરજી કરી છે. ધોનીએ આ ટ્રેડમાર્ક ખાસ કરીને રમતગમત તાલીમ, તાલીમ માટેની સુવિધાઓ અને રમતગમત કોચિંગ સેવાઓ માટે નોંધાવ્યો છે. ધોનીને દુનિયાભરમાં તેમના શાંત સ્વભાવ અને કુશળ નેતૃત્વ માટે ઓળખવામાં આવે છે, અને ‘કેપ્ટન કૂલ’ નામ તે માટે ખૂબ લોકપ્રિય છે. હવે આ નામધારી સેવાઓ ધોનીના બ્રાન્ડ સાથે સાંકળાયેલી રહેશે. રમતગમત ક્ષેત્રે તેમના અનુભવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેડમાર્ક વ્યવસાયિક રીતે મહત્વપૂર્ણ બની રહેશે. આનાથી તેમની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થશે.
દેશનું પ્રથમ ઈ-વોટિંગ કરનારું રાજ્ય બિહાર બન્યું.
દેશનું પ્રથમ ઈ-વોટિંગ કરનારું રાજ્ય બિહાર બન્યું.

ભારતની પ્રથમ ઈ-વોટિંગ એપ બિહારમાં લોન્ચ થઈ. ઈ-વોટિંગમાં વોટ કરનાર પ્રથમ મહિલા વોટર વિભાકુમારી બન્યા. જ્યારે ઈ- વોટિંગ કરનાર પ્રથમ પુરુષ મુન્નાકુમાર બન્યા. નવી ઈ-વોટિંગ સેવા લોકશાહી પ્રક્રિયાને વધુ સુરક્ષિત રાખવા મદદરૂપ થશે. Blockchain ટેકનોલોજી ની મદદથી મતો એક સુરક્ષિત, અપરિવર્તનશીલ સિસ્ટમમાં રેકોર્ડ અને સંગ્રહિત થાય છે. ડિજિટલ સ્કેનિંગ અને OCR (ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન) મતોની સચોટ ગણતરી કરવામાં મદદ કરે છે.

Published on: 29th June, 2025
દેશનું પ્રથમ ઈ-વોટિંગ કરનારું રાજ્ય બિહાર બન્યું.
Published on: 29th June, 2025
ભારતની પ્રથમ ઈ-વોટિંગ એપ બિહારમાં લોન્ચ થઈ. ઈ-વોટિંગમાં વોટ કરનાર પ્રથમ મહિલા વોટર વિભાકુમારી બન્યા. જ્યારે ઈ- વોટિંગ કરનાર પ્રથમ પુરુષ મુન્નાકુમાર બન્યા. નવી ઈ-વોટિંગ સેવા લોકશાહી પ્રક્રિયાને વધુ સુરક્ષિત રાખવા મદદરૂપ થશે. Blockchain ટેકનોલોજી ની મદદથી મતો એક સુરક્ષિત, અપરિવર્તનશીલ સિસ્ટમમાં રેકોર્ડ અને સંગ્રહિત થાય છે. ડિજિટલ સ્કેનિંગ અને OCR (ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન) મતોની સચોટ ગણતરી કરવામાં મદદ કરે છે.
અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે… શુભાંશુ શુક્લાએ PM મોદી સાથેની કરી વાત
અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે… શુભાંશુ શુક્લાએ PM મોદી સાથેની કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન અનેક રોચક પ્રશ્નો કર્યા અને તેમને ભારતની નવી પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યા. શુક્લાએ જણાવ્યું કે અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે અને તેને જોવા એક અનોખો અનુભવ છે. પીએમએ ગાજરના હલવા વિશે પૂછતાં શુક્લાએ હસતાં જવાબ આપ્યો કે તેઓ મગ અને ગાજરનો હલવો સાથે લાવ્યા છે અને તમામ સાથીઓ સાથે શેર કર્યો છે. પૃથ્વીની 400 કિમી ઉંચાઈએ પૃથ્વી પરિભ્રમણ કરતી આ યાત્રાને તેઓ ફક્ત પોતાનું નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ ગણાવે છે. તેમણે જણાવ્યું કે તેઓ પ્રતિ કલાકે લગભગ 28,000 કિમીની ઝડપે આગળ વધી રહ્યા છે અને દિવસે 16 વખત સૂર્યોદય-સૂર્યાસ્તનો અનુભવ કરે છે. પીએમએ આ યાત્રાને "ધરતી માતાની પરિક્રમા" ગણાવી અને શુભાંશુને અભિનંદન પાઠવ્યા.

Published on: 29th June, 2025
અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે… શુભાંશુ શુક્લાએ PM મોદી સાથેની કરી વાત
Published on: 29th June, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન અનેક રોચક પ્રશ્નો કર્યા અને તેમને ભારતની નવી પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યા. શુક્લાએ જણાવ્યું કે અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે અને તેને જોવા એક અનોખો અનુભવ છે. પીએમએ ગાજરના હલવા વિશે પૂછતાં શુક્લાએ હસતાં જવાબ આપ્યો કે તેઓ મગ અને ગાજરનો હલવો સાથે લાવ્યા છે અને તમામ સાથીઓ સાથે શેર કર્યો છે. પૃથ્વીની 400 કિમી ઉંચાઈએ પૃથ્વી પરિભ્રમણ કરતી આ યાત્રાને તેઓ ફક્ત પોતાનું નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ ગણાવે છે. તેમણે જણાવ્યું કે તેઓ પ્રતિ કલાકે લગભગ 28,000 કિમીની ઝડપે આગળ વધી રહ્યા છે અને દિવસે 16 વખત સૂર્યોદય-સૂર્યાસ્તનો અનુભવ કરે છે. પીએમએ આ યાત્રાને "ધરતી માતાની પરિક્રમા" ગણાવી અને શુભાંશુને અભિનંદન પાઠવ્યા.
AAP સરકારમાં મંત્રીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ
AAP સરકારમાં મંત્રીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ

આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજ સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ(ACB) કેસ નોંધ્યો છે. દિલ્હીમાં ૫૫૯૦ કરોડ રૂપિયાના હોસ્પિટલ બાંધકામ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના નેતા અને વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં અનિયમિતતાઓ, મંજૂરી વિના બાંધકામ અને પૈસાનો દુરુપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ૨૦૧૮-૧૯માં, દિલ્હી સરકારે ૨૪ હોસ્પિટલ પ્રોજેક્ટ્સ (૧૧ નવી હોસ્પિટલો અને ૧૩ જૂની હોસ્પિટલોનું વિસ્તરણ) માટે ૫૫૯૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.

Published on: 26th June, 2025
AAP સરકારમાં મંત્રીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ
Published on: 26th June, 2025
આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજ સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ(ACB) કેસ નોંધ્યો છે. દિલ્હીમાં ૫૫૯૦ કરોડ રૂપિયાના હોસ્પિટલ બાંધકામ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના નેતા અને વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં અનિયમિતતાઓ, મંજૂરી વિના બાંધકામ અને પૈસાનો દુરુપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ૨૦૧૮-૧૯માં, દિલ્હી સરકારે ૨૪ હોસ્પિટલ પ્રોજેક્ટ્સ (૧૧ નવી હોસ્પિટલો અને ૧૩ જૂની હોસ્પિટલોનું વિસ્તરણ) માટે ૫૫૯૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.
જાહ્નવી ડાંગેતી - નાસાના અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય
જાહ્નવી ડાંગેતી - નાસાના અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય

જાહ્નવી ડાંગેતી, 23 વર્ષીય યુવતી આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના રહેવાસી છે, જેને વર્ષ 2029માં અમેરિકાના ટાઇટન્સ સ્પેસ મિશન માટે પસંદ કરવામાં આવી છે. આ મિશનમાં તે પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે અને ત્રણ કલાક શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરશે. તેણે પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને નાસાના વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. તેને નાસા અને ISRO તરફથી અનેક પુરસ્કારો મળ્યા છે. 2026માં તે અવકાશ યાત્રા માટે તાલીમ લેશે. બાળપણથી જ અવકાશવિજ્ઞાન પ્રત્યે તેની જિજ્ઞાસા હતી, જે હવે સાકાર થવા જઈ રહી છે.

Published on: 25th June, 2025
જાહ્નવી ડાંગેતી - નાસાના અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય
Published on: 25th June, 2025
જાહ્નવી ડાંગેતી, 23 વર્ષીય યુવતી આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના રહેવાસી છે, જેને વર્ષ 2029માં અમેરિકાના ટાઇટન્સ સ્પેસ મિશન માટે પસંદ કરવામાં આવી છે. આ મિશનમાં તે પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે અને ત્રણ કલાક શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરશે. તેણે પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને નાસાના વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. તેને નાસા અને ISRO તરફથી અનેક પુરસ્કારો મળ્યા છે. 2026માં તે અવકાશ યાત્રા માટે તાલીમ લેશે. બાળપણથી જ અવકાશવિજ્ઞાન પ્રત્યે તેની જિજ્ઞાસા હતી, જે હવે સાકાર થવા જઈ રહી છે.
Axiom Mission4 ISS આવતીકાલે લોન્ચ થશે
Axiom Mission4 ISS આવતીકાલે લોન્ચ થશે

NASAએ પુષ્ટિ આપી છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક્સિઓમ મિશન 4 (એક્સ-4) હવે 25 જૂને લોન્ચ થવાનું છે. ભારતીય વાયુસેનાના પાઇલટ શુભાંશુ શુક્લા મિશનના પાઇલટ હશે. તેમની સાથે પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ પણ હશે. NASA, Axiom Space અને SpaceX આવતીકાલે બપોરે 12:01 વાગ્યે ISS માટે ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કરશે.

Published on: 24th June, 2025
Axiom Mission4 ISS આવતીકાલે લોન્ચ થશે
Published on: 24th June, 2025
NASAએ પુષ્ટિ આપી છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક્સિઓમ મિશન 4 (એક્સ-4) હવે 25 જૂને લોન્ચ થવાનું છે. ભારતીય વાયુસેનાના પાઇલટ શુભાંશુ શુક્લા મિશનના પાઇલટ હશે. તેમની સાથે પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ પણ હશે. NASA, Axiom Space અને SpaceX આવતીકાલે બપોરે 12:01 વાગ્યે ISS માટે ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કરશે.
newskida .in
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
© 2025 News Kida. All rights reserved.