3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Published on: 18th September, 2026

PM કિસાન માનધન યોજના (PM-KMY) એ નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 સુધીનું પેન્શન મળે છે. યોજનામાં જોડાવા માટે, અરજીકર્તા ખેડૂતની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમની પાસે મહત્તમ 2 હેક્ટર ખેતીની જમીન હોવી જોઈએ. ખેડૂતોએ તેમની ઉંમરના આધારે માસિક ₹55 થી ₹200 જમા કરાવવાના હોય છે, જેમાં સરકાર પણ સમાન રકમ જમા કરે છે. ખેડૂતના મૃત્યુ બાદ તેમના જીવનસાથીને પેન્શનનો અડધો ભાગ મળે છે.