અમદાવાદના ગલસાણા ગામે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું
અમદાવાદના ગલસાણા ગામે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું
Published on: 16th September, 2026

ધંધૂકા તાલુકાના ગલસાણા ગામે 'પ્રાકૃતિક ખેતી મહામંથન' કાર્યક્રમ યોજાયો, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ, ઓછા ખર્ચે ખેતી, જમીનની ફળદ્રુપતા જાળવણી, દેશી ગાય આધારિત ખેતી અને તેના અનેક ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. હાલોલ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીમબડિયા, કૃષિ વિભાગના અધિકારીઓ, નિષ્ણાતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોના અનુભવો અને પ્રશ્નોની ચર્ચા થઈ, વધુ ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરાયા.