કચ્છમાં રાહત દરે ઘાસ વિતરણ બંધ
કચ્છમાં રાહત દરે ઘાસ વિતરણ બંધ
Published on: 17th September, 2026

કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત દરે ઘાસ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. અંજાર, માંડવી, અબડાસા અને લખપત જેવા વિસ્તારોમાં જ્યાં ઓછો વરસાદ થયો હતો ત્યાં પણ હવે વિતરણ અટકાવવામાં આવ્યું છે. જોકે, નવું ઘાસ ઉપલબ્ધ થવામાં હજુ ૧૫ દિવસ લાગી શકે છે, જેના કારણે પશુપાલકોને આગામી સમયમાં ઘાસચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકારે જુલાઈમાં ૨ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ઘાસ વિતરણ શરૂ કર્યું હતું, જેમાં કુલ ૧૯.૪૭ લાખ કિલો ઘાસનું વિતરણ થયું હતું.