અરવલ્લીમાં 46% વરસાદ, વીજ કાપથી પાક સંકટ
અરવલ્લીમાં 46% વરસાદ, વીજ કાપથી પાક સંકટ
Published on: 14th September, 2026

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી માત્ર 46.22% વરસાદ નોંધાયો છે, જે વાર્ષિક સરેરાશ કરતાં 53.79% ઓછો છે. છેલ્લા 28 દિવસથી વરસાદ ન પડતાં 1.77 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેલા મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાક સૂકાઈ રહ્યા છે. સિંચાઈના અભાવે ખેતરોમાં તિરાડો પડી છે અને બોર-કૂવાના જળસ્તર નીચા ગયા છે. સરકારની 10 કલાક વીજળી આપવાની જાહેરાત છતાં, હાલ માત્ર 8 કલાક વીજળી મળી રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે.