ગુજરાત સહિત દેશના 51% વિસ્તારમાં નબળું ચોમાસુ
ગુજરાત સહિત દેશના 51% વિસ્તારમાં નબળું ચોમાસુ
Published on: 18th September, 2026

આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશમાં ચોમાસુ નબળું રહેશે તેવી આગાહી સાચી પડી છે. તા. ૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર સુધીમાં દેશના કુલ ૩૬ પેટાવિભાગો પૈકી ૧૯ વિભાગો, જે ૫૧% વિસ્તાર ધરાવે છે, ત્યાં વરસાદમાં ખાધ જોવા મળી છે. જ્યારે ૪૯% વિસ્તાર ધરાવતા ૧૭ પેટાવિભાગોમાં વરસાદ નોર્મલ રહ્યો છે. ગુજરાતમાં એકંદરે ૧૦% વરસાદની ખાધ છે, જેમાંથી સૌરાષ્ટ્રમાં ૨૩% ખાધ નોંધાઈ છે. દેશમાં સરેરાશ ૧૫% વરસાદની ખાધ છે.