સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર
Published on: 15th September, 2026

સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનથી મુરઝાતા પાકને નવું જીવન મળ્યું છે. બાબરા, માળિયા હાટીના, લાઠોદરા, કડાયા, ભંડુરી, ગાળોદર, સાવરકુંડલા, અમરેલીના વડિયા, ધોરાજી સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર છે. આ વરસાદથી મગફળી, એરંડા, સોયાબીન, તુવેર જેવા ચોમાસુ પાકને મોટો ફાયદો થવાની આશા છે. લાંબા સમયના વિરામ બાદ મેંદરડા પંથકમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.