ધરમપુરમાં આદિવાસી ખેડૂતોએ જમીન પ્રશ્ને 'ન્યાય સભા' યોજી, આંદોલનની ચીમકી
ધરમપુરમાં આદિવાસી ખેડૂતોએ જમીન પ્રશ્ને 'ન્યાય સભા' યોજી, આંદોલનની ચીમકી
Published on: 16th September, 2026

વલસાડના ધરમપુરમાં જંગલ અને શિરપડતર જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોએ જમીનના પ્રશ્નો અને ખાલી કરાવવાની નોટિસ સામે 'ન્યાય સભા' યોજી. ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં 15-15 ગામોમાંથી ખેડૂતો જોડાયા. ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હોવા છતાં હક્કપત્રક મળ્યા નથી અને તેમને જમીન ખાલી કરવાની નોટિસો અપાઈ રહી છે. ધારાસભ્યએ 17મીએ લોકસુનાવણીમાં ભાગ લેવા આહ્વાન કર્યું અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. તેમણે સરકાર પર આદિવાસીઓની જમીનો હડપવાનો આરોપ લગાવ્યો. તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલે ગ્રામસભાની સત્તા પર ભાર મૂક્યો અને ખેડૂતોને એકજૂટ રહી લડવા પ્રેરણા આપી.