જાતિની વસ્તી ગણતરીમાં કયા સવાલો પૂછાશે? જાણો વિગતવાર.
Published on: 05th June, 2025
ભારતની આગામી જનગણના 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે, જેમાં વિજળી, શૌચાલય, પ્રોપર્ટી સહિત ઘરના સભ્યો વિષેના 29 સવાલો પુછાશે. આ જનગણના બે ભાગમાં થશે - પહેલીમાં પર્વતીય અને બીજીમાં મેદાની વિસ્તારોની વસ્તી ગણતરી થશે. જેમાં માતાનું નામ, પિતાનું નામ, જન્મતારીખ, ધર્મ, ભાષા, રોજગાર સહિતની માહિતી લેવામાં આવશે. સરકાર દ્વારા નિયુક્ત કર્મચારીઓ ઓળખપત્ર સાથે ઘરોમાં જઈ માહિતી એકત્રિત કરશે. આવા સવાલો ખાસ જાતિ આધારિત થશે, જે OBC સમુદાય માટે મહત્વપૂર્ણ રહેશે.