Menu
સિંહની ગણતરી કેવી રીતે થાય છે: રાજ્યમાં સિંહોની સંખ્યા 900 થશે, ટૂંકમાં જાહેરાત
સિંહની ગણતરી કેવી રીતે થાય છે: રાજ્યમાં સિંહોની સંખ્યા 900 થશે, ટૂંકમાં જાહેરાત
Published on: 13th May, 2025

ગુજરાતના 11 જિલ્લાઓમાં લગભગ 35000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની વસ્તીની 16 મી ગણતરી પૂર્ણ થઇ છે. આ કામગીરીમાં 3200થી વધુ અધિકારી, સ્વયંસેવકો અને સરપંચો સામેલ રહ્યા. સિંહોની ઓળખ માટે પગલાંનાં નિશાન અને શરીરના ચિન્હોનો ઉપયોગ થતો હતો, જ્યારે હવે જીપીએસ ટ્રેકીંગ, જીઆઇએસ મેપીંગ અને કેમેરા દ્વારા ફોટા પાડીને વન વિભાગની એપ પર અપલોડ કરવામાં આવે છે. આ સાથે સરપંચો અને ત્રીજા પક્ષના સ્વયંસેવકોની સહાયથી આધુનિક સાધનો દ્વારા સિંહોની ગણતરી મોનીટરિંગ કરી શકાય છે.