
સંકટ ચોથે હિંમતનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે ગણપતિદાદાનું 15 કિલો કેરીનું અભિષેક
Published on: 16th May, 2025
હિંમતનગરના ચાપરિયા વિસ્તારમાં આવેલ વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે સંકટ ચોથે ખાસ પૂજા-અર્ચના યોજાઈ હતી. ગણપતિદાદાને સવારે 5:30 વાગ્યે 15 કિલો કેરીથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 6:15 વાગ્યે આરતી યોજાઈ અને યજમાન અશોકભાઈ જોશી સહિત તેમના પરિવારજનો દ્વારા 6:45 કલાકે પૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સંધ્યા 7 વાગ્યે ફરી આરતી થશે. ચંદ્રદર્શનનો સમય રાત્રે 10:29 કલાક રહેશે. ફળોના શણગાર અને દિવ્ય દર્શનથી ભક્તોએ વિશેષ ધન્યતા અનુભવી.
સંકટ ચોથે હિંમતનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે ગણપતિદાદાનું 15 કિલો કેરીનું અભિષેક

હિંમતનગરના ચાપરિયા વિસ્તારમાં આવેલ વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે સંકટ ચોથે ખાસ પૂજા-અર્ચના યોજાઈ હતી. ગણપતિદાદાને સવારે 5:30 વાગ્યે 15 કિલો કેરીથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 6:15 વાગ્યે આરતી યોજાઈ અને યજમાન અશોકભાઈ જોશી સહિત તેમના પરિવારજનો દ્વારા 6:45 કલાકે પૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સંધ્યા 7 વાગ્યે ફરી આરતી થશે. ચંદ્રદર્શનનો સમય રાત્રે 10:29 કલાક રહેશે. ફળોના શણગાર અને દિવ્ય દર્શનથી ભક્તોએ વિશેષ ધન્યતા અનુભવી.
Published at: May 16, 2025
Read More at દિવ્ય ભાસ્કર