Menu
સંકટ ચોથે હિંમતનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે ગણપતિદાદાનું 15 કિલો કેરીનું અભિષેક
સંકટ ચોથે હિંમતનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે ગણપતિદાદાનું 15 કિલો કેરીનું અભિષેક
Published on: 16th May, 2025

હિંમતનગરના ચાપરિયા વિસ્તારમાં આવેલ વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે સંકટ ચોથે ખાસ પૂજા-અર્ચના યોજાઈ હતી. ગણપતિદાદાને સવારે 5:30 વાગ્યે 15 કિલો કેરીથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 6:15 વાગ્યે આરતી યોજાઈ અને યજમાન અશોકભાઈ જોશી સહિત તેમના પરિવારજનો દ્વારા 6:45 કલાકે પૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સંધ્યા 7 વાગ્યે ફરી આરતી થશે. ચંદ્રદર્શનનો સમય રાત્રે 10:29 કલાક રહેશે. ફળોના શણગાર અને દિવ્ય દર્શનથી ભક્તોએ વિશેષ ધન્યતા અનુભવી.