સુરતમાં કીમ નદીના કારણે બોલાવ ગામના ૨૦થી વધુ ઘરોમાં બે દિવસથી પૂરની સ્થિતિ
સુરતમાં કીમ નદીના કારણે બોલાવ ગામના ૨૦થી વધુ ઘરોમાં બે દિવસથી પૂરની સ્થિતિ
Published on: 03rd August, 2026

કીમ નદીના પ્રકોપને કારણે બોલાવ ગામમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. કીમ નદીનું પાણી ગામના ૨૦થી વધુ ગરીબ પરિવારોના ઘરોમાં ઘૂસી ગયું છે, જેના કારણે ઘરવખરી અને અનાજ જેવા જરૂરી માલસામાનને નુકસાન થયું છે. ગ્રામજનોને બે દિવસથી ભુખ્યા રહેવાની નોબત આવી છે, અને વહીવટી તંત્ર દ્વારા માત્ર એક ટાઇમની ખીચડી સિવાય કોઈ ખાસ રાહત મળી નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી હજુ પણ ઓસર્યા નથી, અને લોકો નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે.