નવસારીના મોગર ગામમાં 60થી વધુ રખડતા ઢોરોએ ખેતરોમાં
નવસારીના મોગર ગામમાં 60થી વધુ રખડતા ઢોરોએ ખેતરોમાં
Published on: 03rd August, 2026

નવસારીના જલાલપોર તાલુકાના મોગર ગામમાં વિજલપોર વિસ્તારમાંથી લાવવામાં આવેલા 60થી વધુ રખડતા ઢોરોએ ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. પશુપાલકોની બેજવાબદારીને કારણે અન્નદાતાઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોએ પોલીસ સાથે મળી ઢોરોને પકડ્યા, પરંતુ માલિકો ન મળતાં મહાનગરપાલિકાએ તેમને ખડસુપા-ઉન ગામ પાસેની પાંજરાપોળમાં મોકલી આપ્યા. આ ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.