લીપુલેખ માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા: નેપાળ PMનો વિરોધ.
લીપુલેખ માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા: નેપાળ PMનો વિરોધ.
Published on: 04th May, 2026

ચીન સાથે જૂન ૨૦૨૦માં ગલવાન સંઘર્ષના પાંચ વર્ષ પછી ગયા વર્ષે શરૂ થયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી જૂન ૨૦૨૬થી શરૂ થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ધાર્મિક યાત્રા માટે નોંધણી શરૂ કરી દીધી છે. ચીને પણ આ યાત્રાને મંજૂરી આપી છે ત્યારે હવે નેપાળે ઉત્તરાખંડના લીપુલેખ માર્ગેથી આ યાત્રાના સંચાલન સામે વિરોધ નોંધાવ્યો છે. નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહે આ મુદ્દે ભારત અને ચીનને પત્ર લખ્યો છે.