વોર્ડ નં. 10 માં જોરાવરનગર બ્રિજ પાસે પાણીની લાઈન લીકેજ, લાખો લીટર પાણીનો વેડફાટ, કાયમી સમાધાન નહીં
વોર્ડ નં. 10 માં જોરાવરનગર બ્રિજ પાસે પાણીની લાઈન લીકેજ, લાખો લીટર પાણીનો વેડફાટ, કાયમી સમાધાન નહીં
Published on: 23rd August, 2026

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10માં, જોરાવરનગરથી રાજ હોટલને જોડતી મુખ્ય પાણીની પાઈપલાઈન બ્રિજ પાસે લીકેજ થતાં લાખો લીટર શુદ્ધ પાણીનો ગટરમાં વેડફાટ થઈ રહ્યો છે. આ લીકેજને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરાયું હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી. શહેરમાં પાણીની અછત વચ્ચે આવા વેડફાટ સામે લોકોમાં રોષ છે. આ અંગે તાત્કાલિક અને કાયમી સમાધાનની માંગ કરવામાં આવી રહી છે.