કેનેડામાં વિદેશી દખલ, જાસૂસીમાં ભારતની સંડોવણી : સુરક્ષા એજન્સી
કેનેડામાં વિદેશી દખલ, જાસૂસીમાં ભારતની સંડોવણી : સુરક્ષા એજન્સી
Published on: 04th May, 2026

વડાપ્રધાન માર્ક કાર્ની સરકારમાં કેનેડા અને ભારતના સંબંધો સુધરશે તેવી આશા ઠગારી નીવડી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની જેમ હવે કેનેડાની સુરક્ષા ઈન્ટેલિજન્સ સર્વિસ એજન્સીએ ભારત પર કેનેડામાં વિદેશી દખલ અને જાસૂસીના આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં એજન્સીએ કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરવાદી તત્વોને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવ્યા છે, પરંતુ ખાલિસ્તાન તરફી શાંતિપૂર્ણ દેખાવોને કાયદેસરની રાજકીય પ્રવૃત્તિ ગણાવી છે. CSISના આ પબ્લિક રિપોર્ટ ૨૦૨૫થી બંને દેશો વચ્ચે ઘર્ષણ થવાની આશંકા છે.