વરસાદના અભાવે ભુજ તાલુકાના ‘રામમોલ’ પર સંકટ
વરસાદના અભાવે ભુજ તાલુકાના ‘રામમોલ’ પર સંકટ
Published on: 31st August, 2026

ભુજ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં છે. ચોમાસુ પાક 'રામમોલ' પાણી વિના સૂકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોના લાખો રૂપિયાનું રોકાણ નિષ્ફળ જવાની ભીતિ છે. ભુજ તાલુકામાં 55,559 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 22,295 હેક્ટરમાં એરંડાનું વાવેતર કરાયું છે. મગફળી અને શાકભાજી જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે. શાકભાજીની ગુણવત્તા ઘટતા બજારમાં ભાવ મળવાની આશા પણ ઓછી થઈ ગઈ છે. ખેડૂતો હવે મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે.