છોટા ઉદેપુરમાં ક્રેનની અડફેટે બાઈકચાલકનું મોત
છોટા ઉદેપુરમાં ક્રેનની અડફેટે બાઈકચાલકનું મોત
Published on: 31st August, 2026

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના પાણી મહુડા ગામ પાસે પાણી પુરવઠા બોર્ડની કામગીરીમાં વપરાતી ક્રેનની અડફેટે બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું. બનાવને પગલે સ્થાનિકોએ વળતરની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો. કામગીરી પૂર્ણ કરી પરત ફરતી ક્રેને બાઈકને ટક્કર મારી હતી. મૃતક યુવકના પરિવારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સ્થળ પર આવી યોગ્ય વળતરની ખાતરી ન આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી, જેના કારણે તંગદિલી સર્જાઈ. પોલીસે તપાસ હાથ ધરી છે.