ટીમ ઈન્ડિયા T20 કેપ્ટન: સૂર્યાના સ્થાને શ્રેયસની ચર્ચા.
ટીમ ઈન્ડિયા T20 કેપ્ટન: સૂર્યાના સ્થાને શ્રેયસની ચર્ચા.
Published on: 08th May, 2026

ભારતીય T20 ટીમમાં સૂર્યકુમાર યાદવના કેપ્ટન પદ પર ખતરો મંડરાઈ રહ્યો છે. BCCI સૂર્યાના બદલે શ્રેયસ અય્યરને નવો કેપ્ટન બનાવવાની યોજના બનાવી રહી છે. શ્રેયસના IPL 2026માં શાનદાર પ્રદર્શન અને નેતૃત્વને કારણે આ ચર્ચા થઈ રહી છે, જ્યારે સૂર્યાનું ખરાબ ફોર્મ પણ ચિંતાનો વિષય બન્યું છે. આગામી સમયમાં ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં BCCI યુવા ખેલાડીઓને વધુ તક આપવા માંગે છે. શ્રેયસ અય્યર આ રેસમાં સૌથી આગળ હોવા છતાં એક પાસું એ પણ છે કે તેણે ડિસેમ્બર 2023 પછી કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી.