બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું ઇન્સ્ટાગ્રામ મોડલ કરતાં ઓછું મહત્વ મળવાનો દર્દ.
થોમસ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્વ મળે છે. સ્વદેશ પરત ફર્યા બાદ કોઈ સ્વાગત ન મળ્યું, સરકાર કે બેડમિન્ટન એસોસિએશનના પ્રતિનિધિઓ પણ હાજર નહોતા. હૈદરાબાદમાં ડિનર માટે ટેબલ ન મળ્યું, જ્યારે ઇન્સ્ટાગ્રામ ફેમસ વ્યક્તિ આવે તો તરત સ્વાગત થાય છે. તેમણે હતાશામાં બેડમિન્ટન છોડીને ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું ઇન્સ્ટાગ્રામ મોડલ કરતાં ઓછું મહત્વ મળવાનો દર્દ.
મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઐતિહાસિક ઉલટફેર, રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો. મમતા બેનર્જીની ૧૫ વર્ષ જૂની સરકારનો અંત આવ્યો. કોલકાતા ગેઝેટમાં નોટિફિકેશન સાથે જ TMC કેબિનેટ બરખાસ્ત. બંધારણીય પ્રક્રિયા મુજબ, કલમ ૧૭૪ (૨)(b) હેઠળ આ નિર્ણય લેવાયો. હવે નવી સરકારની રચના થશે.
મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી.
એક જ પાસવર્ડથી આખા દેશમાં પબ્લિક Wi-Fi, TRAIની નવી સિસ્ટમ.
TRAI હવે એવી હાઈ-ટેક સિસ્ટમ લાવી રહ્યું છે કે જેનાથી પબ્લિક Wi-Fi વાપરનારાઓને ફરી ફરી OTP અને Login કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. દેશમાં ચાર લાખથી વધુ Wi-Fi હોટસ્પોટ માટે માત્ર એક જ પાસવર્ડ કે OTP નાખીને કનેક્ટ થઈ શકાશે. આ નવી સિસ્ટમ PM-WANI ની ખામીઓ દૂર કરશે અને WPA3 જેવા સિક્યોરિટી સ્ટાન્ડર્ડથી UPI અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત બનશે. ઓપરેટરો માટે પણ કમાણીના નવા રસ્તા ખુલશે.
એક જ પાસવર્ડથી આખા દેશમાં પબ્લિક Wi-Fi, TRAIની નવી સિસ્ટમ.
અખિલેશે મમતાને આપી સાંત્વના, કહ્યું 'તમે હાર્યા નથી'
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે (7 મે) કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે મમતા બેનર્જીને સાંત્વના આપતા કહ્યું હતું કે, ‘દીદી, તમે હાર્યા નથી.’ આ દરમિયાન ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પણ હાજર હતા અને તેમણે અખિલેશ યાદવનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અખિલેશે મમતાને આપી સાંત્વના, કહ્યું 'તમે હાર્યા નથી'
બંગાળ ચૂંટણી નિવેદન: ભારતે બાંગ્લાદેશને ગેરકાયદે વસતા નાગરિકોને પાછા બોલાવ્યા.
પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ બાંગ્લાદેશના નિવેદન પર ભારતે સ્પષ્ટ કર્યું કે મુખ્ય મુદ્દો ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાનો છે. બાંગ્લાદેશ પાસે રાષ્ટ્રીયતા ચકાસણીના 2,860થી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાં ઘણા 5 વર્ષથી જૂના છે. ભારતે આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ આ પ્રક્રિયા ઝડપી બનાવશે, જેથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાનું સરળ બને. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ આપેલા નિવેદન પર ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું છે.
બંગાળ ચૂંટણી નિવેદન: ભારતે બાંગ્લાદેશને ગેરકાયદે વસતા નાગરિકોને પાછા બોલાવ્યા.
AIADMKમાં ભંગાણના એંધાણ, 27 ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર રચવા અંગેનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK બહુમતી સાબિત કરવા મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ AIADMK એ તેના તમામ 47 ધારાસભ્યોને પુડુચેરીના રિસોર્ટમાં શિફ્ટ કરી દીધા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, વિરોધી છાવણી દ્વારા AIADMK ના ધારાસભ્યોને તોડવાના આક્રમક પ્રયાસો થઈ રહ્યા છે. પક્ષમાં ભંગાણ ન પડે તે હેતુથી તમામ ધારાસભ્યોને કડક સુરક્ષા વચ્ચે પુડુચેરી ખસેડાયા છે. અહીં પણ તેઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
AIADMKમાં ભંગાણના એંધાણ, 27 ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ.
બંગાળમાં કોણ સંભાળશે સત્તા? મમતાના રાજીનામા વગર અભૂતપૂર્વ સ્થિતિ.
પશ્ચિમ બંગાળમાં TMC ચૂંટણી હારી ગઈ હોવા છતાં મમતા બેનરજી રાજીનામું આપી રહ્યા નથી, જેના કારણે બંધારણીય સંકટ ઊભું થયું છે. 7 મેના રોજ જૂની વિધાનસભા આપોઆપ ભંગ થઈ જશે અને 9 મેના રોજ નવી સરકાર શપથ લેશે. આ બે દિવસ દરમિયાન રાજ્યનો કારભાર કોણ સંભાળશે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્યપાલ પાસે વચગાળાની વ્યવસ્થા કરવાનો અધિકાર છે.
બંગાળમાં કોણ સંભાળશે સત્તા? મમતાના રાજીનામા વગર અભૂતપૂર્વ સ્થિતિ.
નોરા ફતેહીએ 'સરકે ચુનર' ગીત માટે NCW સમક્ષ માફી માંગી, હવે આઈટમ સોન્ગ નહીં કરે.
'સરકે ચુનર' ગીતના વિવાદ બાદ અભિનેત્રી નોરા ફતેહીએ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ લેખિત માફી માંગી છે. નોરાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં તે સમાજની મહિલાઓ માટે ખોટો સંદેશ ન જાય તેવા કોઈપણ આઈટમ સોન્ગ નહીં કરે. તેમણે કહ્યું કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. નોરા કેટલાક અનાથ બાળકોનો ખર્ચ ઉઠાવવાની પણ ખાતરી આપી છે. અગાઉ સુનાવણીમાં હાજર ન થવા બદલ આયોગે ચેતવણી આપી હતી.
નોરા ફતેહીએ 'સરકે ચુનર' ગીત માટે NCW સમક્ષ માફી માંગી, હવે આઈટમ સોન્ગ નહીં કરે.
ઓપરેશન સિંદૂર: બ્રહ્મોસ, આકાશ, પિનાકાએ પાકિસ્તાનને ધ્રુજાવ્યું, ભારતના હથિયારોનો વાગ્યો ડંકો.
ઓપરેશન સિંદૂર, ભારતના 3 શક્તિશાળી હથિયારો – બ્રહ્મોસ મિસાઈલ, આકાશ એર ડિફેન્સ અને પિનાકા રોકેટ લોન્ચર – ની સફળતા દર્શાવે છે. આ ઓપરેશને પાકિસ્તાનને ધ્રુજાવી દીધું અને ભારતના સંરક્ષણ નિકાસમાં વધારો કર્યો. બ્રહ્મોસ તેની અવાજ કરતાં ત્રણ ગણી ઝડપ અને નીચી ઉડાન ક્ષમતાથી, આકાશ દુશ્મનના એરક્રાફ્ટને હવામાં જ તોડી પાડવાથી, અને પિનાકા તેની રોકેટ છોડવાની ક્ષમતાથી પ્રભાવિત કરે છે.
ઓપરેશન સિંદૂર: બ્રહ્મોસ, આકાશ, પિનાકાએ પાકિસ્તાનને ધ્રુજાવ્યું, ભારતના હથિયારોનો વાગ્યો ડંકો.
118 સહીઓ વગર શપથ નહીં: વિજયને રાજ્યપાલે ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ.
તમિલનાડુમાં સરકાર રચવા મુદ્દે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ૧૧૮ ધારાસભ્યોના લેખિત સમર્થનનો આગ્રહ રાખતા રાજકીય ગરમાવો વધ્યો છે. TVK ચીફ વિજય પાસે હાલ ૧૦૭ ધારાસભ્યો છે, અને કોંગ્રેસના ટેકા સાથે આ આંકડો ૧૧૨ સુધી પહોંચે છે, જે બહુમતીથી ૬ બેઠક દૂર છે. VCK અને CPI એ આ નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું કે સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ મળવું જોઈએ. વિપક્ષોએ આ પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર અને ભાજપની દખલગીરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
118 સહીઓ વગર શપથ નહીં: વિજયને રાજ્યપાલે ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ.
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન.
પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાની આતંકી ઠેકાણાઓ પર પ્રચંડ પ્રહાર કર્યો હતો. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગુપ્ત ઓપરેશનમાં પાકિસ્તાનના ૧૩ વિમાનો તોડી પડાયા અને ૧૦૦થી વધુ સૈનિકો ઠાર થયા હતા. ૬૫% સ્વદેશી હથિયારોનો ઉપયોગ 'આત્મનિર્ભર ભારત'ની શક્તિ પ્રદર્શિત કરે છે. વાયુસેના અને નૌસેનાએ પાકિસ્તાનના સૈન્ય બેઝ અને દરિયાઈ માર્ગો પર નિયંત્રણ મેળવી ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ સ્પષ્ટ કરી, જે શહીદ પરિવારો માટે ન્યાય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નિર્ણાયક સાબિત થઈ છે.
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન.
નીતીશના પુત્ર નિશાંત બન્યા મંત્રી, PM મોદીની હાજરીમાં શપથવિધિ.
બિહારમાં CM સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં 32 મંત્રીઓએ શપથ લીધા. BJP-JDU વચ્ચે 50-50 ફોર્મ્યુલા. નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે JDU ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત HAM (સંતોષ સુમન) અને LJP(R)ના ક્વોટામાંથી પણ ધારાસભ્યોને સ્થાન મળ્યું છે.
નીતીશના પુત્ર નિશાંત બન્યા મંત્રી, PM મોદીની હાજરીમાં શપથવિધિ.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપી નિર્દોષ, બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય યથાવત્.
બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી રુબાબુદ્દીન શેખની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું કે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં દખલ કરવા માટે કોઈ મજબૂત આધાર નથી. વર્ષ ૨૦૦૫માં બનેલી આ ઘટનામાં સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિની હૈદરાબાદથી સાંગલી જતી વખતે અટકાયત કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશ સાથે ગુજરાત અને રાજસ્થાન પોલીસના કર્મચારીઓ સહિતના તમામ આરોપીઓની મુક્તિ યથાવત રહી છે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપી નિર્દોષ, બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય યથાવત્.
ઓપરેશન સિંદૂર: PM મોદીનો પાકિસ્તાનને સંદેશ
BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષે વતન પરત.
સુરેન્દ્રનગરના કટુડા ગામના વતની અને BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષની ફરજ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. વતન પરત ફરતા તેમનું કટુડા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે 22 વર્ષની ફરજ દરમિયાન કાશ્મીર અને નાગાલેન્ડ સહિત દેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સેવા આપી હતી. ફરજ પૂર્ણ કરી વતન આવેલા જવાનનું પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષે વતન પરત.
9 રાજ્યોમાં વરસાદ: બિહારમાં કરા, વીજળીથી 2 મોત; જયપુરમાં પાણી છંટકાવ.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદ ચાલુ છે. યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ, પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં વરસાદ થયો. બિહાર, હરિયાણા, હિમાચલમાં કરા પડ્યા. યુપીમાં ઘઉં પલળી ગયા, તાપમાન ઘટ્યું, 44 જિલ્લાઓમાં એલર્ટ. બિહારમાં કરા, આકાશમાં અંધારું; પૂર્ણિયામાં વીજળીથી 2 મોત. ઉત્તરાખંડમાં હિમવર્ષા. રાજકોટ, વાશિમ, ફલોદી સૌથી ગરમ. જયપુરમાં તડકો, રસ્તાઓ પર પાણી છંટકાવ. હવામાન વિભાગે 7 જિલ્લામાં એલર્ટ, 8 મેથી હીટવેવની ચેતવણી આપી.
9 રાજ્યોમાં વરસાદ: બિહારમાં કરા, વીજળીથી 2 મોત; જયપુરમાં પાણી છંટકાવ.
પશ્ચિમ બંગાળમાં ભાજપનો કેસરીયો, PM મોદીને વૈશ્વિક શુભેચ્છાઓ.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં ભાજપની ઐતિહાસિક જીત, 207 બેઠકો સાથે સત્તાના સૂત્રો સંભાળશે. ત્રિનિદાદ અને ટોબેગોના PM કમલા પ્રસાદ-બિસેસરે PM મોદીને અભિનંદન પાઠવ્યા. આ જીત ભારતીય લોકશાહીની મજબૂતી અને PM મોદીના નેતૃત્વ પર વૈશ્વિક વિશ્વાસ દર્શાવે છે. ભારત-ત્રિનિદાદ સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર.
પશ્ચિમ બંગાળમાં ભાજપનો કેસરીયો, PM મોદીને વૈશ્વિક શુભેચ્છાઓ.
'ભારત સાથે ઐતિહાસિક સંબંધો પર ગર્વ, સંબંધો મજબૂત થઈ રહ્યા છે...', ઈરાને કર્યા વખાણ.
પશ્ચિમ એશિયામાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને આક્રમક વલણ અપનાવતા પોતાને એક 'સુપરપાવર' તરીકે જાહેર કર્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ એક ઈન્ટરવ્યૂમાં અમેરિકાના વર્ચસ્વને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે.
'ભારત સાથે ઐતિહાસિક સંબંધો પર ગર્વ, સંબંધો મજબૂત થઈ રહ્યા છે...', ઈરાને કર્યા વખાણ.
કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી, ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ, કુલ 33 આરોપ લાગ્યા
કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજાના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડૉલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ રૂપિયા)ની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. શું હતી સમગ્ર ઘટના?અહેવાલ અનુસાર, આ ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા.
કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી, ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ, કુલ 33 આરોપ લાગ્યા
રાતનો સમય, કારનો પીછો, ટાર્ગેટ કિલિંગ...ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક બાદ એક કડી જોડાઈ
પશ્ચિમ બંગાળમાં મધ્યગ્રામનો દોહરિયા વિસ્તાર. મોડી રાતનો સમય હતો. શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો અને તેઓ બાજુની સીટ પર બેઠા હતા. એક કાર ઘણા સમયથી ચંદ્રનાથની સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી. એટલામાં પાછળ વાળી કાર આગળ આવે છે ચંદ્રનાથની કારની સ્પીડ ધીમી થઈ જાય છે અને સાઈડમાંથી બાઇક સવાર બદમાશો આવે છે, ચંદ્રનાથના છાતીમાં ઉપરાઉપરી ગોળીઓ ઉતારી દેવામાં આવે છે.
રાતનો સમય, કારનો પીછો, ટાર્ગેટ કિલિંગ...ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક બાદ એક કડી જોડાઈ
'ગુંડાઓનો સફાયો કરી દઈશું..', PAની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા.
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ ગુરુવારે (7 મે 2026) આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.
'ગુંડાઓનો સફાયો કરી દઈશું..', PAની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા.
કસ્ટમ્સ ઓર્ડરના અભાવે સોના-ચાંદીની આયાત અટકી.
મુંબઈમાં કસ્ટમ્સ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી ન થતાં દેશમાં સોના-ચાંદીની આયાત અટકી ગઈ છે. વાણિજ્ય મંત્રાલયે બેન્કો દ્વારા આયાતની નવી યાદી જાહેર કરી હતી, પરંતુ કસ્ટમ્સ તરફથી કોઈ અલગ ઓર્ડર ન હોવાથી બંદરો અને એરપોર્ટ પર માલસામાન છૂટો કરવામાં મુશ્કેલી પડી રહી છે. અક્ષય તૃતિયા પછી જ્વેલરો સ્ટોક વધારવા ઈચ્છે છે, પણ બેન્કો પાસેથી માલ મળતો નથી. નવા નાણાકીય વર્ષના એક મહિના પછી પણ બેન્કો કન્સાઈનમેન્ટ ડિલિવરી લઈ શકી નથી.
કસ્ટમ્સ ઓર્ડરના અભાવે સોના-ચાંદીની આયાત અટકી.
RSS દ્વારા ભુજના માનકુવામાં યુવા સંગમ: દેશી રમતોમાં 116 યુવાનોનો ઉત્સાહ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા માનકુવામાં યોજાયેલા યુવા સંમેલનમાં 11 ગામના 116 યુવાનોએ બરછી ફેંક, ગોળા ફેંક, લાંબી કુદ, ઊંચી કુદ અને રસ્સા ખેંચ જેવી દેશી રમતોમાં ભાગ લીધો. વિજેતાઓને ભગવાન શ્રીરામની છબી ભેટ અપાઈ. યુવાનોને નિર્વ્યસની રહેવા, ધીરજ અને ઉચ્ચ લક્ષ્ય નિર્ધારિત કરવા પર ભાર મુકાયો.
RSS દ્વારા ભુજના માનકુવામાં યુવા સંગમ: દેશી રમતોમાં 116 યુવાનોનો ઉત્સાહ.
મમતા માટે સહાનુભૂતિ રાખનારાઓ પણ નારાજ?
મમતા બેનર્જીએ ચૂંટણીમાં હાર બાદ પણ રાજીનામું આપવાનો ઇન્કાર કરતાં તેમના તટસ્થ ટેકેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી પંચ અને ગેરરીતિ અંગેની તેમની ટીકાઓ સાથે સહમત હોવા છતાં, રાજીનામું ન આપવાના નિર્ણયથી તેમની છબી ખરડાશે અને ભાજપને પ્રહારો કરવાની તક મળશે તેવી ભીતિ સેવાય રહી છે. જાણકારો મુજબ, મમતાના ઇન્કાર છતાં રાષ્ટ્રપતિ શાસન કે બંધારણીય સત્તા દ્વારા ભાજપ સરકાર બનાવી શકે છે. આ સ્થિતિમાં મમતા પાસે હવે માત્ર ન્યાયિક લડતનો જ વિકલ્પ બચ્યો છે.
મમતા માટે સહાનુભૂતિ રાખનારાઓ પણ નારાજ?
મમતા બેનર્જીનો પરાજય: ગુંડાઓના સહારે સત્તા ટકાવવી પડી ભારે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટું ચક્ર પૂર્ણ થયું, જેમાં મમતા બેનર્જીનું પતન થયું. જેમ તેમણે અગાઉ જાહેર હતાશાનો લાભ લઈને ડાબેરી શાસનનો અંત આણ્યો હતો, તેમ હવે તેમને પણ અસંતોષનો સામનો કરવો પડ્યો. એક સમયે રસ્તા પરની કાર્યકરથી લઈને ભારતની અગ્રણી નેતા સુધીનો તેમનો ઉદય નોંધપાત્ર હતો. હવે TMC માટે સંસ્થાકીય, વિચારધારા, વિશ્વસનીયતા, શાસકીય ત્રુટીઓ અને મતદારો સાથે પુનઃ જોડાણના સવાલો ઊભા થયા છે.
મમતા બેનર્જીનો પરાજય: ગુંડાઓના સહારે સત્તા ટકાવવી પડી ભારે.
ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં જે ભાવ ઉછળતાં દેખાયા હતા. વિશ્વ બજારના સમાચાર મુજબ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધમાં શાંતિની શક્યતા વધતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તૂટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ૯થી ૧૦ ટકા તૂટી ગયા હતા.
ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી
શતાબ્દી એક્સપ્રેસમાં AC ખરાબી: વડોદરામાં મુસાફરોનો વિરોધ, સુરતમાં કોચ બદલાયો.
અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસના વડોદરામાં AC ફેલ થતા મુસાફરોએ વિરોધ કર્યો. ટ્રેન રોકાઈ. અમદાવાદમાં બદલાયેલા નવા કોચમાં પણ AC શરૂઆતથી જ બંધ હતું. મિકેનિકલ સમસ્યાને કારણે કોચ બદલવામાં આવ્યો હતો. સુરતમાં નવા કોચમાં 70 મુસાફરોને શિફ્ટ કરી ટ્રેન આગળ રવાના કરાઈ.
શતાબ્દી એક્સપ્રેસમાં AC ખરાબી: વડોદરામાં મુસાફરોનો વિરોધ, સુરતમાં કોચ બદલાયો.
2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક, એક મુખ્ય બજાર.
2020થી ભારત ઊભરતી બજારોમાં સૌથી સ્થિતિસ્થાપક રહ્યું છે. મજબૂત ફોરેકસ રિઝર્વ, સ્થિર નીતિ અને ઘરેલુ મૂડી બજારની ઊંડાઈએ ટેકો આપ્યો છે. Moody's Ratings અનુસાર, ભારત ભાવિ વૈશ્વિક આંચકા સહન કરવામાં સક્ષમ છે. ઘરેલુ ફન્ડિંગ ઊંડી સ્થાનિક બજારો અને નોંધપાત્ર રિઝર્વ દ્વારા સંતુલિત છે.
2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક, એક મુખ્ય બજાર.
IPL: લખનઉ Vs બેંગલુરુ, LSG હારનો સિલસિલો તોડશે?
આજે IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે રહેલી RCB પાછલી મેચમાં હારી હતી, જ્યારે સતત 6 હાર બાદ LSG આબરૂ બચાવવા મેદાનમાં ઉતરશે. RCB લખનઉ સામે ઇકાનામાં ક્યારેય જીતી નથી.
IPL: લખનઉ Vs બેંગલુરુ, LSG હારનો સિલસિલો તોડશે?
પશ્ચિમ બંગાળમાં પરિવર્તનનો રાજકીય પડઘો.
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, 206 બેઠકો જીતી. આ વિજય મમતા બેનર્જીના શાસનનો અંત અને પરિવર્તનની શરૂઆત દર્શાવે છે. બંગાળની ધરતી, જ્યાં અનેક ક્રાંતિકારીઓ અને મહાનુભાવોનો જન્મ થયો, ત્યાં હવે ભાજપનો ભગવો લહેરાયો છે. આ વિજય માત્ર રાજકીય નથી, પરંતુ હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને સંગઠિત સમાજની શક્તિનો પ્રતિક છે, જેણે દમનકારી શાસન અને તુષ્ટિકરણ પર લોકોના હુમલાનું પરિણામ દર્શાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં પરિવર્તનનો રાજકીય પડઘો.
ભારતે પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવી જ પડશે: IMF
અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા ભાવ વધારવા જ પડશે, જો નહીં વધારે તો અર્થતંત્ર પર અસર પડશે. તેની વચ્ચે ભારત સરકારે ભાવમાં વધારો નહી કરવાનું રટણ જારી રાખ્યું છે.