અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર રાહ નહીં, હવે AI કરશે જંકશનનું સંચાલન
અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર રાહ નહીં, હવે AI કરશે જંકશનનું સંચાલન
Published on: 24th April, 2026

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટશે! AI આધારિત 'એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ' (ATCS) અમલમાં મુકાઈ છે. જંકશન પર લાગેલા કેમેરા અને સેન્સર્સ ટ્રાફિકની ગીચતા જોઈને સિગ્નલનો સમય બદલશે. આથી, ખોટી રાહ જોવામાંથી મુક્તિ મળશે, પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ઘટશે, અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. હાલમાં 10 જંકશન પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે, સફળતા મળ્યે સમગ્ર શહેરમાં લાગુ કરાશે.