કોંગ્રેસને ઉમેદવાર આપનારા ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે: ઋત્વિજ પટેલ
કોંગ્રેસને ઉમેદવાર આપનારા ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે: ઋત્વિજ પટેલ
Published on: 24th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં ભાજપના નેતાઓના વિવાદિત નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે વાઘોડિયામાં 'ઘરના વિભીષણો' અને ગદ્દારોને ચૂંટણી બાદ પાઠ ભણાવવાની ચીમકી આપી છે. બીજી તરફ, તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે મતદારોને ભાજપનો ભરોસો ન તોડવા જણાવી ચેતવણી આપી છે કે જો વિશ્વાસઘાત થશે તો તેમના ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે. પક્ષમાં આંતરિક નારાજગી અને ડેમેજ કંટ્રોલ વચ્ચે નેતાઓના આવા આકરા તેવર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.