આણંદ જિ.પં.ની પાળજ બેઠક પર ભાજપ બિનહરીફ છતાં કોંગ્રેસ દ્વારા પ્રચાર
આણંદ જિ.પં.ની પાળજ બેઠક પર ભાજપ બિનહરીફ છતાં કોંગ્રેસ દ્વારા પ્રચાર
Published on: 24th April, 2026

આણંદ જિલ્લાની પાળજ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદિપ પટેલ બિનહરીફ વિજેતા થયા હોવા છતાં, કોંગ્રેસ દ્વારા મતદારોને ગેરમાર્ગે દોરતી પત્રિકા વહેંચવામાં આવતા વિવાદ સર્જાયો છે. પેટલાદ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ સોલંકીએ પોતાની પ્રચાર પત્રિકામાં પાળજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થયા હોવાનું ખોટું લખાણ છપાવ્યું છે. આ મામલે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી મતદારોને ભ્રમિત કરવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.