વડોદરાના શિનોરમાં દશામાની ભવ્ય આગમન શોભાયાત્રા
વડોદરાના શિનોરમાં દશામાની ભવ્ય આગમન શોભાયાત્રા
Published on: 11th August, 2026

શિનોરમાં દશામાના આગમનની શોભાયાત્રા નીકળી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. ડીજેના તાલે અને આતશબાજી સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. શિનોર ખત્રીવાડ યુવા ગ્રૂપ દર વર્ષે દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક ઉજવે છે, જેમાં 10 દિવસ સુધી પૂજા, ગરબા અને ભજન જેવા કાર્યક્રમો યોજાય છે. રાણાવાસ અંબાજી મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા મેઈન બજાર, બસ સ્ટેન્ડ અને રણછોડજી મંદિર થઈ ખત્રીવાડ ખાતેના અંબાજી મંદિરે પહોંચી.