પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે ભક્તિમય શ્રાવણ માસનો અનેરો ઉત્સવ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે ભક્તિમય શ્રાવણ માસનો અનેરો ઉત્સવ
Published on: 11th August, 2026

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે. આ દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાશે. 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું પ્રથમવાર આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન, પૂજા, ભોજન અને યાત્રિક સુવિધાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકો માટે નિ:શુલ્ક ટોય ટ્રેન અને વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ઓનલાઈન પૂજા અને દર્શનની પણ વ્યવસ્થા છે.