તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને શાંતિ અને ભજનની અપીલ!
તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને શાંતિ અને ભજનની અપીલ!
Published on: 25th May, 2026

પ્રેમાનંદ મહારાજે ખરાબ સ્વાસ્થ્ય વચ્ચે પોતાના ભક્તો અને શિષ્યો માટે ભાવુક સંદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, 'આપણે મળીએ કે ન મળીએ, બોલીએ કે ન બોલીએ, અમે આપ સૌને ખૂબ પ્રેમ કરીએ છીએ. બોલ્યા વગર પણ તમારા મગજમાં અમે હોઈશું. તમે નિશ્ચિંત થઈને ભજન અને નામ જપ કરતા રહો.' પ્રેમાનંદ મહારાજ લાંબા સમયથી કિડનીની ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા છે અને તેમને અઠવાડિયામાં બે થી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. તેમની આ અપીલ બાદ ભક્તો ભાવુક થઈ ગયા છે.