અમદાવાદમાં વેપારીનો સેવાયજ્ઞ: આયુષ્માન અને રેશન કાર્ડ નિઃશુલ્ક કઢાવી ગંભીર દર્દીઓની લાખોની સારવારમાં મદદ.
અમદાવાદમાં વેપારીનો સેવાયજ્ઞ: આયુષ્માન અને રેશન કાર્ડ નિઃશુલ્ક કઢાવી ગંભીર દર્દીઓની લાખોની સારવારમાં મદદ.
Published on: 25th May, 2026

ગંભીર બીમારીમાં લાખોના ખર્ચે આયુષ્માન કાર્ડ ગરીબ-મધ્યમવર્ગીય માટે આર્થિક આધાર બને છે. સામાન્ય રીતે નવા આયુષ્માન કાર્ડ બનતાં પાંચ દિવસ અને રેશનકાર્ડ બનતાં ચાર દિવસ લાગે છે, પરંતુ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે મણિનગરના કરિયાણા વેપારી હર્ષદ પટેલ દર્દીના પરિજનને મદદ કરે છે. તેઓ સરકારી કચેરીની કાર્યવાહી ત્રણથી ચાર કલાકમાં પૂરી કરાવી તાત્કાલિક કાર્ડ કઢાવી આપે છે. છેલ્લાં સાત વર્ષથી કોઈ ફી વિના આ કાર્ય દ્વારા તેમણે 80થી વધુ દર્દીઓને મદદ કરી છે.