વડોદરાના સંખેડામાં અખાદ્ય કેરીના રસના વેપલા સામે વહીવટી તંત્રની લાલ આંખ.
વડોદરાના સંખેડામાં અખાદ્ય કેરીના રસના વેપલા સામે વહીવટી તંત્રની લાલ આંખ.
Published on: 23rd May, 2026

સંખેડા ચારરસ્તા વિસ્તારમાં ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ગુરુવારે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન અખાદ્ય કેરી અને શેરડીના રસનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ઉનાળામાં લોકો કેરી અને શેરડીના રસનું વધુ સેવન કરે છે. કેટલાક દુકાનદારોએ રસને વધુ મીઠો બનાવવા કેમિકલનો ઉપયોગ કરતા હોવાનું કબૂલ્યું. આ કેમિકલયુક્ત રસ આરોગ્ય માટે હાનિકારક છે. વહીવટી તંત્રએ આવા દુકાનદારો સામે ફૂડ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.