આનંદ સરોવરમાં દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય.
આનંદ સરોવરમાં દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય.
Published on: 25th May, 2026

પાટણના આનંદ સરોવરમાં ગટરના ગંદા પાણી ઠલવાતા ઝેરી જળકુંભીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ ગંભીર સ્થિતિને પગલે મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. ચીફ ઓફિસરે તાત્કાલિક ગટરનું પાણી બંધ કરવાની સૂચના આપી છે. નિષ્ણાતોના મતે, સરોવરનું ઊંડું ખોદકામ કરી જળકુંભી દૂર કરવી જરૂરી છે. પાલિકાએ સરોવરના રીનોવેશન માટે રૂ. 3 કરોડનો ડીપીઆર સરકારમાં મંજૂરી માટે મોકલ્યો છે, જે મળતાં સરોવર ફરી આકર્ષક બનશે તેવી આશા છે.