પાટણ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી વિનોદ જોષીને બેસ્ટ રોટેરીયન એવોર્ડથી સન્માનિત કરાયા
પાટણ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી વિનોદ જોષીને બેસ્ટ રોટેરીયન એવોર્ડથી સન્માનિત કરાયા
Published on: 31st May, 2026

પાટણ બ્રહ્મા સમાજના અગ્રણી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા રોટેરીયન વિનોદભાઈ જોષીને બેસ્ટ રોટેરીયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિનોદભાઈ જોષીને બેસ્ટ રોટેરીયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવતાં પાટણ રોટરી પરિવાર તથા જગન્નાથ મંદિર પરિવાર સાથે તેમના સ્નેહીજનો દ્વારા ખુશી વ્યક્ત કરાઈ છે. જેથી એવોર્ડ હાંસલ કરનાર વિનોદભાઈ જોષીએ પણ તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.